Homeગુજરાતમોરબીવાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ‌.1.60 લાખની ચોરી

વાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ‌.1.60 લાખની ચોરી

વાંકનેર તાલુકાના કોઠારીયા (નવા પ્લોટ વિસ્તાર) ખાતે રહેતા ઉસ્માનગનીભાઈ માથકીયાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ મળી રૂ. 1.60 લાખના મત્તાની ચોરી કરી નાસી ગયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ઉસ્માન ગનીભાઈ માથકિયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો ચો૨ ઇસમ ફરિયાદીના રહેણાક મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી ફરિયાદિના રહેણાક મકાનના બે રૂમો પૈકી ડાબી બાજુના રૂમમા રાખેલ કબાટનો લોક કોઈ હથીયારથી કોઇપણ રીતે તોડી કબાટના ખાનામાં રાખેલ ફરિયાદિના પત્ની જેનમબેનના સોના ચાંદીના દાગીના જેમા સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, સોનાની વીંટી. સોના ના કાનના એરીંગ સોનાની સેર દિકરી શફીનાબેનના ચાંદીના સાંકળા મળી કિ.રૂ. ૧,૫૦, ૦૦૦તથા રૂ. ૧૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦ ની માલ મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular