શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સર્વધર્મપ્રેમી જનતાને ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ
મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલું શ્રી જડેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અંદાજે 125 વર્ષ જૂનું આ મંદિર મોરબીની ઐતિહાસિક અને ધાર્મિક વિરાસત સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવતો રહ્યો છે. કહેવાય છે કે મોરબીના રાજવી લગધીરજી બાપુએ પણ મંદિરના જીર્ણોદ્ધાર અને વિકાસમાં વિશેષ રસ દાખવ્યો હતો.



