Homeગુજરાતમોરબીમોરબીના રાજપર ગામે ખેડૂત જાગૃતિ અને એકતા મીટિંગનું આયોજન

મોરબીના રાજપર ગામે ખેડૂત જાગૃતિ અને એકતા મીટિંગનું આયોજન

‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે સત્યાગ્રહ છાવણી સમિતિનું આહ્વાન

મોરબી: ગુજરાત સત્યાગ્રહ છાવણી સમિતિ દ્વારા મોરબી તાલુકાના રાજપર ગામે આગામી 26 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 8:30 કલાકે “ખેડૂત જાગૃતિ અને એકતા મીટિંગ”નું આયોજન કરવામાં આવ્યું છે. ‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે યોજાનારી આ બેઠકમાં ગુજરાતભરના ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમનું સ્થળ બીજો જાપો, રાજપર ગામ, તા. મોરબી, જી. મોરબી નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો, આગામી દિવસોની રણનીતિ તેમજ ખેડૂત સંગઠનની મજબૂતી અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ખેડૂત એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોરબી તાલુકાના તમામ ગામોના સરપંચોને પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular