મોરબી જિલ્લાના જેતપર સહિતના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન લાઈન માટે જમીનના વળતર અંગે મહત્વનો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વીજ પોલ કે તાર પસાર થયા બાદ બાકી રહેલી જમીનની બજાર કિંમતમાં ઘટાડો થાય છે, તો આ ઘટતી કિંમતનું યોગ્ય વળતર ખેડૂતોને મળવું જોઈએ.
MRC (Market Rate Committee) મુજબ વળતર નક્કી કરતી વખતે માત્ર પોલ ઊભો થયેલી જગ્યાનો જ નહીં, પરંતુ વીજ લાઈનના કારણે ખેતરની બાકી રહેલી જમીનની કિંમતમાં થતી અસરને પણ ધ્યાનમાં લેવાની ખેડૂતોની માંગ છે.
ખેડૂતોનો મુખ્ય સવાલ છે કે જમીનની કિંમતમાં થતી આ ઘટાડાની સંપૂર્ણ ભરપાઈ કાયદેસર રીતે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવામાં આવશે?