Homeગુજરાતમોરબીમોરબી શહેરના મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં...

મોરબી શહેરના મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

સિમ્પોલો ફાઉન્ડેશનની હેલ્થકેર સીએસઆર પહેલ હેઠળ મયુર હોસ્પિટલ ખાતે 6 ડાયાલિસિસ મશીનો સાથે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન

મોરબી: સમુદાય આરોગ્ય અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની મયુર હોસ્પિટલ ખાતે વિશિષ્ટ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી મોરબી તથા આસપાસના વિસ્તારોના લોકોને કિફાયતી અને ગુણવત્તાસભર કિડની સારવાર સેવાઓ ઉપલબ્ધ બનશે. ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય મંત્રી–શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશી ભાઈ અઘારા તથા વિશેષ અતિથિ તરીકે વિશાલ આદિત્ય જાડેજા (વિશાલ બાપા) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સિમ્પોલો ગ્રુપના સીએમડી જિતેન્દ્ર અઘારાએ જણાવ્યું હતું કે, “સિમ્પોલોમાં અમે મજબૂત રીતે માનીએ છીએ કે ઉદ્યોગનો વિકાસ તેની આસપાસના સમુદાયોના વિકાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. મોરબી વિસ્તારમાં અનેક દર્દીઓને નિયમિત ડાયાલિસિસ સારવાર મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ડાયાલિસિસ સેન્ટરને સહયોગ આપવાનો વિચાર આવ્યો હતો. સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા અમે એવી હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ, જે સમાજ માટે અર્થપૂર્ણ અને લાંબા ગાળાનો પ્રભાવ ઊભો કરે. આ પહેલ માત્ર મશીનો પૂરી પાડવા વિશે નથી, પરંતુ દર્દીઓ અને તેમના પરિવારો માટે આશા, સુલભતા અને ગૌરવ લાવવાનો પ્રયાસ છે.” કંપનીની સીએસઆર પહેલ હેઠળ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના માટે સંપૂર્ણ મશીનરી ખર્ચનો સહયોગ આપવામાં આવ્યો છે અને લાંબા ગાળાની આરોગ્ય સેવા તથા સમુદાય વિકાસની દ્રષ્ટિ સાથે મહત્વપૂર્ણ મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આ પહેલ છેલ્લા 24 વર્ષથી કિડની સંબંધિત સારવાર સેવાઓ આપી રહેલી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી હાથ ધરવામાં આવી છે. મયુર હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલું આ નવું ડાયાલિસિસ સેન્ટર સમાજના તમામ વર્ગોના દર્દીઓને જાતિ અથવા સમુદાયના ભેદભાવ વિના કિફાયતી દરે ઉચ્ચ ગુણવત્તાની ડાયાલિસિસ સારવાર ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવે છે. ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી) ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેના પાછળ ડાયાબિટીસ, હાઈપરટેન્શન, જીવનશૈલી સંબંધિત રોગો અને સમયસર નિદાનનો અભાવ મુખ્ય કારણો માનવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રના અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 2.2 લાખ નવા દર્દીઓ એન્ડ-સ્ટેજ રિનલ ડિસીઝ (ESRD) થી પીડિત થાય છે, જેના કારણે દેશમાં દર વર્ષે 3.4 કરોડથી વધુ ડાયાલિસિસ સેશન્સની જરૂરિયાત ઊભી થાય છે. વધતી આરોગ્ય સુવિધાઓ છતાં અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કિફાયતી ડાયાલિસિસ સારવારની ઉપલબ્ધતા આજે પણ મોટો પડકાર બની રહી છે.

ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની સંબંધિત રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરના આરોગ્ય આંકડા મુજબ ગુજરાત સરકાર સંચાલિત કેન્દ્રોમાં છેલ્લા પાંચ વર્ષમાં ડાયાલિસિસ પ્રક્રિયાઓની સંખ્યા બમણી થી વધુ વધી છે, જે 2021-22 દરમિયાન આશરે 2.73 લાખ પ્રક્રિયાઓમાંથી વધીને 2025-26 દરમિયાન 5.61 લાખથી વધુ પ્રક્રિયાઓ સુધી પહોંચી છે. માત્ર આ વર્ષે જ 64,000થી વધુ દર્દીઓએ ડાયાલિસિસ સેવાઓનો લાભ લીધો છે. હાલમાં રાજ્યમાં આશરે 280 ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત છે, જ્યારે નિષ્ણાતોના મત મુજબ ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવે તો વાસ્તવિક ભાર વધુ મોટો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular