Homeગુજરાતમોરબીવાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો

વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જીલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણના તથા દુષ્કર્મના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન રહે, શાંતીકા નાગલા તા. કામા જી. ભરતપુર રાજસ્થાન વાળો હાલે ડ્રાઇવીંગ કામ કરતો હોય અને મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા ખાતેથી પસાર થવાનો છે તેવી બાતમી મળતા સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન ઉવ.૩૦ રહે, ગામ નાગલા ઇશ્વરીસીંહ તા.કમાન જી. ભરતપુર રાજસ્થાન વાળો રામટેક આર.ટી.ઓ. ચેક્પોસ્ટ, નાગપુર, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular