Homeગુજરાતમોરબીમોરબીના ધુળકોટ ગામે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાશે: જાણીતા કલાકારો બોલાવશે સૂરની...

મોરબીના ધુળકોટ ગામે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાશે: જાણીતા કલાકારો બોલાવશે સૂરની રમઝટ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે આગામી સમયમાં સેવા અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળશે. ગામમાં આવેલ શ્રી વાનરવીર આશ્રમ મુકામે શ્રી કૃષ્ણાનંદ ગૌશાળાના લાભાર્થે તારીખ ૨૩-૦૫-૨૦૨૬, શનિવાર સમય: રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ: શ્રી વાનરવીર આશ્રમ, મુ. ધુળકોટ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત ભજનિકો અને સાહિત્યકારો રાત્રિ દરમિયાન ગૌસેવા અર્થે સૂર અને સાહિત્યની રમઝટ બોલાવશે.

આ ભવ્ય લોક ડાયરા અને સંતવાણીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારો ભજનિક વર્ષાબેન તલસાણીયા (વિછીંયા), ભજનિક ભોમિકા આહિર (મહુવા), સાહિત્યકાર રામસી ચારણ (ગીર), સાહિત્યકાર હરદેવ ગઢવી (રાજુલા) ઉપસ્થિત રહેશે.

આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમના મુખ્ય આમંત્રક તરીકે શ્રી મહંત ધરમદાસ બાપુ (શ્રી વાનરવીર આશ્રમ – શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા) છે. જ્યારે કાર્યક્રમનું સુચારુ આયોજન દિનેશભાઇ (મોબાઇલ નંબર: ૯૬૬૨૪ ૫૪૨૪૦) દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી વાનરવીર આશ્રમ અને ગૌશાળા સમિતિ દ્વારા આસપાસના વિસ્તારના તમામ ધર્મપ્રેમી અને ગૌપ્રેમી જનતાને આ ભવ્ય સંતવાણીનો લાભ લેવા અને ગૌસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular