ધાર્મિક અનુષ્ઠાનો સાથે સંતવાણીની જામશે રમઝટ
મોરબીના ઘોળેશ્વર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી શાંતિવન આશ્રમ ખાતે આગામી અષાઢ સુદ-૧૫ (ગુરુ પૂનમ) ને બુધવાર, તારીખ ૨૯-૭-૨૦૨૬ ના રોજ ‘શ્રી ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવ’નું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય અનંત વિભૂષિત શ્રી સદ્ગુરુ શ્રી કેશવાનંદ બાપુ અને ગુરુદેવ શ્રી મહેશ્વરાનંદ બાપુના દિવ્ય સાનિધ્યમાં યોજાનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે, જેનો લાભ લેવા માટે આશ્રમ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



