મોરબી: મચ્છોયા આહિર સમાજ – મોરબી દ્વારા આગામી તા. ૦૪-૦૯- ૨૦૨૬, શુક્રવારના રોજ પવિત્ર યાત્રાધામ વવાણીયા સ્થિત પૂજ્ય માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ભવ્ય ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ – ૨૦૨૬’નું આયોજન પરંપરાગત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મોરબીથી વવાણીયા સુધી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ‘રુદીયાના રાજા ગ્રુપ’ના સૌજન્યથી યોજાનારી આ શોભાયાત્રા બપોરે ૨:૦૦ કલાકે મોરબી સ્થિત મચ્છોયા આહીર સમાજ વાડી ખાતેથી પ્રસ્થાન કરશે અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાંજે ૪:૦૦ કલાકે વવાણીયા પહોંચશે.
કાર્યક્રમની રૂપરેખા: શોભાયાત્રા બપોરે ૨:૦૦ થી ૪:૦૦ (મોરબી સમાજ વાડીથી પ્રસ્થાન થઈ વવાણીયા પહોંચશે)
આ પાવન અવસરે સમગ્ર આહિર સમાજ તેમજ સર્વે ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રા માં ભાગ લેવા મચ્છોયા આહિર સમાજ સમિતિ -મોરબી જિલ્લા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.