Homeગુજરાતમોરબીસ્વચ્છ ભારત મિશન હેઠળ મોરબીમાં IEC અભિયાન, કચરા વિભાજન અંગે નાગરિકોને અપાઈ...

સ્વચ્છ ભારત મિશન હેઠળ મોરબીમાં IEC અભિયાન, કચરા વિભાજન અંગે નાગરિકોને અપાઈ માર્ગદર્શન

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં IEC (Information, Education & Communication) એક્ટિવિટી યોજવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન નાગરિકોને ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ, ચાર ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. IEC એક્ટિવિટીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, કચરાના સ્ત્રોતે જ વિભાજનને પ્રોત્સાહન આપવાનો તથા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે. સ્ત્રોતે કચરાનું વિભાજન અને જનજાગૃતિ અસરકારક ઘન કચરા વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકા તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા તથા શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular