મોરબી શહેરમાં પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે, તા. 24 એપ્રિલ 2026 (શુક્રવાર)ના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવાનો વિશેષ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ૦ થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકો માટે આયોજિત આ કેમ્પમાં માતા-પિતાને પોતાના બાળકોને અવશ્ય લાવવા વિનંતી કરવામાં આવી છે.
આ કેમ્પ વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર પાસે, રવાપર રોડ, મોરબી ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજાશે. કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ, મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં યોજાતા આ સુવર્ણપ્રાશન કેમ્પમાં દર વખતે અંદાજે ૧૫૦ જેટલા બાળકો લાભ લેતા હોય છે, જે શહેર માટે ગૌરવની બાબત છે. આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીઓના માતા-પિતાને આ આરોગ્યલક્ષી અભિયાનનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.