Homeગુજરાતમોરબીવાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવારનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે સિ.એન.જી રીક્ષાએ બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભત્રીજાએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના કુંભારપરામાં રહેતા અને મજૂરી કામ કરતા મયુરભાઈ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૩૬) એ આરોપી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર – જીજે-૩૬-યુ -૧૫૬૨ વાળીના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાલજીભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૮૦) રહે.કુંભારપરા વાકાનેર વાળા પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નં. જીજે-૦૩.એફ.સી.- ૮૦૯૫ લઇને મજુરી કામે જતા હતા ત્યારે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે આરોપીએ પોતાના હવાલાવાળી સી.એન.જી રીક્ષા જેના આર.ટી.ઓ રજીસ્ટર નં. જીજે-૩૬-યુ- ૧૫૬૨ વાળી પુરઝડપે અને બેફીકરાઇથી રોંગસાઇડમા ચલાવી આવી ફરીયાદિના કાકાને મોટરસાયકલ સહિત હડફેટે લેતા અક્સ્માત કરતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ફરીયાદીના કાકાનું મોત નિપજાવી આરોપી પોતાના હવાલાવાળી સી.એન.જી રીક્ષા ત્યા મુકીને નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular