Homeગુજરાતમોરબીમોરબીના યોગીનગરમા યુવક પર પથ્થર વડે હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ દાખલ

મોરબીના યોગીનગરમા યુવક પર પથ્થર વડે હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ દાખલ

મોરબી શહેરમાં મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાછળ યોગીનગરમા અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને એક શખ્સે પથ્થર વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાછળ યોગીનગર શેરી નંબર -7મા રહેતા ભાવેશભાઈ રતીલાલભાઈ અગેચાણીયા (ઉ.વ.૩૦) એ આરોપી અનીલભાઈ સનુરા રહે. યોગીનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આજથી સાતેક દિવસ અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને પથ્થરનો છુટો ઘા મારી માથાના ભાગે ટાંકા આવેલ તથા ફ્રેકચર જેવી ઈજા કરી‌ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular