મળતી માહિતી મુજબ મોરબીમાં પટેલ કોલોની પી.જી. કોલોની પાછળ રહેતા અને વેપાર કરતા વિજયભાઈ ભાનુશંકર શીલુ (ઉ.વ.૫૧) નામના પ્રૌઢનું ભાગીદારમા મોરબીના શનાળા રાજકોટ રોડ પર શ્રીજી એસ્ટેટ નેક્ષા સર્વીસ સ્ટેશનની પાછળ આવેલ શીવશંકર પેકેજીંગ નામના કારખાનું આવેલું હોય જેમાં એકલા કારખાનામાં પુઠા કાપવાનું મશીન રીપેર કરતા હોય અથવા તો સાફ સફાઇ કરતા હોય દરમ્યાન દોરડાથી મશીન ઉચુ કરવા જતા કોઇપણ કારણોસર મશીનની અંદર આવી જતા મશીનની બ્લેડ ગળાના ભાગે વાગતા માથામા ગંભીર ઇજાઓ થતાં વિજયભાઈ નામના પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.