Homeગુજરાતમોરબીઘર વિહોણા 25 લોકોને આશ્રયસ્થાન પૂરું પાડતું મોરબી મહાનગરપાલિકા

ઘર વિહોણા 25 લોકોને આશ્રયસ્થાન પૂરું પાડતું મોરબી મહાનગરપાલિકા

નાઈટ ડ્રાઈવનું આયોજન રાત્રિના સમયે ફૂટપાથ પર સુતેલા લોકોને નંદ કુંવરબા આશ્રય ગૃહ ખાતે લાવવામાં આવ્યા

શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં ફૂટપાથ પર રહેતા લોકોને આશ્રયગ્રુહ ખાતે વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે.

મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા આશ્રય ગૃહનું સંચાલન કરવામાં આવે છે. યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 25 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular