Homeગુજરાતમોરબીટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને ચાર શખ્સોએ ફટકાર્યા મોરબી ટંકારાના વિરપર ગામે નજીવી બાબતે આધેડને ચાર શખ્સોએ ફટકાર્યા By morbisahyognews February 19, 2026 108 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા આધેડે શેરીમાં ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા જે બાબતે આરોપીને ઠપકો આપતાં સારૂં ન લાગતા આધેડને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસીંગભાઈ વડેચા (ઉ.વ.૪૫) એ તેમના જ ગામના આરોપી સતિષ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઈ રવજીભાઈ બાવરવા, ગંગાભાઈ જીવાભાઈ બાવરવા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કેફરીયાદીની શેરીમાં રહેતા આરોપી સતિષ પોતાની રીક્ષાલઈને શેરીમાં નીકળતા એક ગલુડીયુ રીક્ષા નીચે આવી જતા સાથીએ આરોપીને રીક્ષા ધ્યાનથી ચલાવવાનુ કહેતા આરોપીએ સાથીઓ સાથે બોલા ચાલી કરેલ બાદ આરોપીઓ આવી ભુંડાબોલી ગાળો બોલી કહેલ કે ગઈ કાલે સતિષ સાથે શુ ગલુડીયા ભાબતે બોલાચાલી કરેલ હતી તેમ કહી આરોપીઓએ કહેલ કે આજ તો ગલુડીયુ હતુ.જો હવે પછી ક્યારેય કઈ બોલ્યા છોતો ગલુડીયાની જગ્યાએ તમે બધા હસો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા હાથની મારા મારી કરી આરોપીઓએ હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ થતા આ જપાજપીમાં ફરીયાદીના માતા દેવુબેનને ધકકો લાગતા નીચે પડી જતા મોઢાના ભાગે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો April 18, 2026 મોરબી હળવદ: મયાપુરની સીમમાં જમીન ખાલી કરાવવા મામલે દંપતી પર જીવલેણ હુમલો April 18, 2026 મોરબી હળવદ: માનસર જેટકો સબ સ્ટેશનમાં હાજરી પૂરવા બાબતે લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને માર માર્યો April 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - April 18, 2026 હળવદ: મયાપુરની સીમમાં જમીન ખાલી કરાવવા મામલે દંપતી પર જીવલેણ હુમલો morbisahyognews - April 18, 2026 હળવદ: માનસર જેટકો સબ સ્ટેશનમાં હાજરી પૂરવા બાબતે લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને માર માર્યો morbisahyognews - April 18, 2026 મોરબી: વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ morbisahyognews - April 18, 2026 ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો morbisahyognews - April 17, 2026