મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે બાબા રામદેવજી પ્રત્યેની અખંડ આસ્થાને ઉજાગર કરતાં યુવક રામા મંડળ ગોર ખીજડીયા દ્વારા તા. 14 માર્ચ 2026ને શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ ગોરજીકડીયા સ્થિત રામાપીરના મંદિરે મહાકાલ સાઉન્ડના સહકારથી યોજાશે.
આ ધાર્મિક પ્રસંગનું આયોજન પ્રેમજીભાઈ દેવશીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે. રામાપીરના ભક્તોને કાર્યક્રમમાં હાજરી આપી ભજન-કીર્તન અને રામાપીરના મહિમાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ લેવા આયોજકો દ્વારા જહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.