મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબી માળિયા ફાટક પાછળ કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન રવિકુમાર જાટવે આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો સગીરવયનો ભાઈ સત્યા ઉ.વ.૦૮ વર્ષવાળો ફરીયાદી શાકભાજી લેવા મોકલેલ બાદ પરત નહી આવી ક્યાંક જતો રહેલ હોય અથવા ફરીયાદીના વાલિપણામાથી કોઈ પણ સંમતિ લિધા વગર અજાણ્યા ઇસમે અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.