Homeગુજરાતમોરબીમોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા

મોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર પાન-મસાલાની દુકાન ધરાવતા વેપારીની નજર ચૂકવી એક શખ્સ ૩૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુ બા સ્કૂલ પાસે પિતૃ આશીશ ભગવતી પાક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી રહે. રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફરીયાદીની રાજુ પાન એન્ડ કોલડ્રીંક્સમા આરોપીએ જઈ ઠંડા પીણાની બોટલ માંગતા ફરીયાદી ઠંડા પીણાની બોટલ લેવા ઉભા થતા ફરીયાદિની નજર ચુકવી દુકાનના થડાના ટેબલના ખાનામાથી રોકડ રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular