ટંકારા થી ધ્રોલ તરફ જવાના રસ્તા પર ગઈ કાલે રાત્રે ટ્રેક્ટર ચાલકે ઠોકર મારતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોમાં (૧) ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ,(૨) હસીનાબેન ગફુરભાઈ જામ,(૩)નજમાબેન નુરાલીભાઈ જામ,(૪) ફિઝાબેન અનવરભાઈ ભટ્ટી,(૫) ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી,(૬) રેશમાબેન ગફુરભાઈ જામ,(૭) જન્નત બેન જુસબભાઈ જામ નો સમાવેશ થાય છે
આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે.