Homeગુજરાતમોરબીમોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું .

આ વર્ષે યજ્ઞમાં યજમાન ધાંગધ્રા નિવાસી નિર્મળભાઇ મધુસૂદનભાઈ ભટ્ટ અને તેમના પરિવાર હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી ત્યારે યજ્ઞમાં ધાર્મિક વિધિ વૈદકી મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રી તેજશભાઇ ભટ્ટ અને તેઓની સાથે આવેલા ભૂદેવો દ્વારા કરવવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ અને જે.પી. ભટ્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular