મોરબી સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થતુ હોય તેથી વેપારીઓને હિસાબોનુ કાર્ય પુર્ણ કરવાનું હોય જે ધ્યાનમાં રાખીને આગામી તારીખ 25 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન અનાજ વિભાગમા રજા જાહેર કરવામાં આવી છે.
(૧) તા.૨૫-૩-૨૦૨૬ થી તા.૩૧-૩-૨૦૨૬ સુધી યાડૅમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે.
(૨) તા.૨૪-૩-૨૦૨૬ને મંગળવારના સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યારબાદ આવક બંધ કરવામાં આવે છે. ઉતરાઈ કરવા દેવામાં આવશે નહી.
(૩) તા.૨૫-૩-૨૦૨૬ને બુધવારના રોજ પેન્ડીંગ માલની હરરાજી લેવામાં આવશે.