Homeગુજરાતમોરબીમોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ટંકારા માવતરે રહેલ પરણિતાએ તેમના પતિ – સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને માનસિક ત્રાસ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જામનગર રોડ નવી કોર્ટ સામે મનહરપુરમા રહેતા અને હાલ માવતરે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ.૨૯) એ આરોપી અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા ( પતિ ), સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ), ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ ), ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ), ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા) રહે. હાલ બધા–રાજકોટ ગાયકવાડી જંક્શન કીટીપરા રાજીવ આવાસના ક્વાર્ટર બ્લોક નં.૩૦૮ ડી વીંગ તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા બંને નણંદો તથા સાસુ સસરા એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular