Homeગુજરાતમોરબીમોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ...

મોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ સામે ગુનો દાખલ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટર દુકાન નંબર -૩૭,૩૮ ખાતે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવાની બાબતે થયેલા વિવાદ બાદ આરોપીએ કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામે રહેતા કિશોરભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ આરોપી તૈયબભાઈ મિંયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટરમા ફરીયાદીની દુકાન નંબર -૩૭,૩૮ની બહાર બે સીસીટીવી કેમેરા કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ના લગાવેલા હોય જે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવા સારૂં આરોપીઓએ ધમકી આપેલ હોઈ અને ફરીયાદીએ સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલતા આરોપીઓએ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular