રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓમાં વારંવાર જવાનું ટાળીને તેમની નજીકમાં જ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહાનગરપાલિકા તેમજ અન્ય શાસકીય વિભાગો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો અહીં પોતાની અરજી, જરૂરી દસ્તાવેજો અને પ્રશ્નો સાથે આવી શકે છે અને તાત્કાલિક માર્ગદર્શન તથા જરૂરી કાર્યવાહી મેળવી શકશે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણ શિબિર સ્થળ:-૧ તા. ૧૨/૦૬/૨૦૨૬ રોજ વોર્ડ નંબર ૧,૭,૮,૯,૧૦,૧૧,અને ૧૨ માટે કમ્યુનીટી હોલ, શનાળા રોડ સરદારબાગની પાછળ,મોરબી પાસે તથા સ્થળ:-૨ તા :- ૧૩/૦૬/ ૨૦૨૬ ,વોર્ડ નંબર ૨,૩,૪,૫,૬, અને ૧૩ સુધી, પંચમુખી હનુમાન મંદિર, વેજીટેબલ રોડ ,મોરબી -2 માં આયોજિત કરવામાં આવશે, સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી .
• આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન
• મ્યુનિસિપલ સેવાઓ સંબંધિત અરજીઓ
• નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોનું નિરાકરણ
આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવશે જેથી સામાન્ય લોકોન સરકારી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. નાગરિકોએ જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પમાં હાજરી આપી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા પોતાની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ મેળવવા વિનંતી છે.