મોરબી શહેરના બેલા–ભરતનગર રોડ પર આવેલ શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજીના આશીર્વાદથી અને પૂજ્ય મા દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર તા. 09 એપ્રિલ 2026 થી 15 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે, જેમાં ગ્રીન ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિર દરમિયાન યોગ, પ્રાણાયામ, નેચરલ ડાયેટ સિસ્ટમ, પ્રાકૃતિક ઉપચાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. રોજિંદા કાર્યક્રમ મુજબ સવારે 6 થી 8 યોગ અને પ્રાણાયામ, ત્યારબાદ તજજ્ઞોના પ્રવચનો, ગ્રીન જ્યુસ, ફળાહાર અને આરામની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે પણ રસાહાર, પ્રવચન, પ્રશ્નોતરી તેમજ રાસ-ગરબાનો આનંદ માણવાની તક મળશે.
આ શિબિર ખાસ કરીને દવાઓ વગર સ્વાભાવિક રીતે આરોગ્ય સુધારવા ઈચ્છુક લોકો, વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા ઈચ્છુક દરેક માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. થાઇરોઇડ અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાના રિપોર્ટ સાથે આવવાનું રહેશે તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોએ અગાઉથી માહિતી આપવાની રહેશે.
આ રીતે મોરબીમાં આયોજિત આ નિઃશુલ્ક નેચરોપેથી શિબિર સ્વસ્થ જીવન તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની શક્યતા છે.