બેલા-ભરતનગર સ્થિત શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદનો સુમેળ સર્જાશે.
ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાઓ માટે પ્રખ્યાત હરિહરધામ ખાતે તા. 01 એપ્રિલ 2026, બુધવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 9:00 કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે, ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. રાત્રે 9:30 કલાકે સંતવાણી અને ડાયરા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તથા વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે.
આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.