મોરબીના હરિપર ગામ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે ૭:૧૫ વાગ્યે શ્રી રામજી મંદિર ખાતે મહા આરતી યોજાશે. તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ૯:૩૦ વાગ્યે રસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે હરિપર ગામે 150 વર્ષ પૂર્ણ કર્યા હોવાના અવસરે આ ઉત્સવ વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં યોજાતા આ કાર્યક્રમમાં જગતજનની માં આદ્યશક્તિની આરાધના પણ કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા હરિપર ગામ સહિત આસપાસના ગામોના ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.