ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માં ૭ માર્ચ થી સેવા સેતુ કાર્યક્રમ મનું આયોજન કરવામાં આવેલ છે મોરબી તાલુકા મના બગથળા ગામે આજે નકલંક મંદિર મંહત શ્રી દામજી ભગત હસ્તે સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો
સરકાર દ્રારા સ્થળ ઉપર અરજદારની રજૂઆત સ્થળ ઉપર નિકાલ થાય તેમજ સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે એવા ઉમદા હેતુસર આ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા સરપંચ હરેશભાઈ મેરજા, પુર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોર્ચાના પુર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા તથા રાજુભાઇ દલસાણીયા તથા વિશાલભાઇ સાદરીયા તથા તલાટી મંત્રી તથા તાલુકા વહીવટી તંત્ર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.