આગામી તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા બપોરે ૦૩:૦૦ વાગ્યે ગાયત્રી મંદિર વાઘપરા થી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે .જે મોરબીના રાજમાર્ગો પર ફરી ને સાંજે ૦૭:૩૦ એ શ્રી પરશુરામ ધામ પહોચશે અને ત્યાં સાંજે ૦૭:૩૦ એ મહા આરતી અને અન્નકૂટ અને ત્યારબાદ મહા પ્રસાદનું આયોજન છે તો મોરબી ના તમામ ભુદેવને સહપરિવાર સાથે પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.