મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે ભરાતી બુધવારી બજારમાંથી એક ૧૭ વર્ષીય સગીરા રહસ્યમય રીતે ગુમ થતા પરિવારમાં ફાળ પડી છે. સગીરાના પિતાએ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પુત્રીનું અપહરણ કરાયું હોવાની શંકા સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક યુવકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીરવયની દિકરી પોતાની રીતે કોઈ પણ કારણોસર જતી રહેલ હોય અથવા કોઈ અજાણ્યો ઇસમ તેનુ કોઈ કારણોસર અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.